October 16, 2024
સિન્ટેકસે એન્ટિ-વાયરલ, એન્ટિ-ફંગલ, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-એલ્ગલ પાણીની ટાંકી લોન્ચ કરી

સિન્ટેકસે એન્ટિ-વાયરલ, એન્ટિ-ફંગલ, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-એલ્ગલ પાણીની ટાંકી લોન્ચ કરી

બિઝનેસ ખબરી, અમદાવાદ:

ભારતભરમાં ચોમાસાની શરૂઆત સાથે, દૂષિત પાણી અને પાણીની ગુણવત્તા સાથે ચેડાં જેવા પરિબળોને કારણે પાણીજન્ય રોગોનું જોખમ વધવાનું છે. આ સિઝનમાં આ પ્રકારની સમસ્યાથી લોકોને બચાવવા માટે અને પરિવારના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની સુરક્ષા માટે, સિન્ટેક્સ સિન્ટેક્સ પ્યોર+ પાણીની ટાંકી લાવી છે જેમાં અદ્યતન સામગ્રી એન્ટિ-વાયરલ, એન્ટિ-ફંગલ, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-એલ્ગલ ગુણધર્મો છે અને હાનિકારક સૂક્ષ્મજીવોના વિકાસને સક્રિયપણે અટકાવે છે.

આ ટાંકીનાં લોન્ચિંગ પ્રસંગે બોલતા  કંપનીનાં ડાયરેક્ટર આશિષ પ્રસાદે જણાવ્યું હતું કે, “સિન્ટેક્સમાં, અમે હંમેશા પરિવારોને સલામત અને સુરક્ષિત પાણી સાથે મનની શાંતિ પૂરી પાડવામાં વિશ્વાસ રાખ્યો છે. સિન્ટેક્સ પ્યોર+નું લોન્ચિંગ એ આ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. આ નવીન ટાંકી સ્ટોરેજથી આગળ વધે છે – તે તેની 4P ડિફેન્સ સિસ્ટમ અને અત્યાધુનિક એક્ટિવ સિલ્વર ટેક્નોલોજી સાથે અપ્રતિમ સુરક્ષા પ્રદાન કરે છે જે તેને પરિવાર માટે તંદુરસ્ત પસંદગી બનાવે છે.

સામાન્ય રીતે લોકો પોતાની સુખાકારી માટે વિવિધ માર્ગો શોધતા હોય છે. કેટલાક જીમમાં જઈને પ્રયાસો કરતા હોય છે તો કેટલાક પોતાના ઘરમાં પૂરી સુખ-સુવિધા હોય તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. આ સુખાકારીમાં પાણી પણ મહત્વની બાબત છે. લોકોને જો શુદ્ધ પાણી મળી રહે તો તેનું આરોગ્ય જળવાઈ રહે છે અને આ માટે લોકો પાણીની ટાંકી ખરીદવા ઉપર ભાર મૂકી રહ્યા છે. 

આરોગ્યપ્રદ જીવન ધોરણ મેળવવા માટે લોકો ખાસ કરીને તેને મળતું પાણી શુદ્ધ હોય અને તે જેમાં સ્ટોર કરે છે તે ટાંકી એન્ટી બેક્ટેરીયલ ગુણધર્મો ધરાવતી હોય તેવું ઈચ્છતા હોય છે અને કદાચ એટલે જ લોકો આ પ્રકારની ટાંકી ખરીદવા લાગ્યા છે.